﻿<?xml version="1.0" encoding="utf-8"?>
<rss version="2.0" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:trackback="http://madskills.com/public/xml/rss/module/trackback/">
  <channel>
    <title>ગુજરાતી લેખો</title>
    <description>આ વિભાગમાં આપ જુદા-જુદા લેખકોના રસિક લેખો માણી શકો છો.</description>
    <link>http://www.gurjardesh.com/સહતય/સહતય/tabid/133/BlogId/2/Default.aspx</link>
    <language>en-US</language>
    <webMaster>gurjardesh@gmail.com</webMaster>
    <pubDate>Thu, 21 Aug 2008 14:58:38 GMT</pubDate>
    <lastBuildDate>Thu, 21 Aug 2008 14:58:38 GMT</lastBuildDate>
    <docs>http://backend.userland.com/rss</docs>
    <generator>Blog RSS Generator Version 3.3.0.16726</generator>
    <item>
      <title>ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા</title>
      <description>
&lt;p&gt;આજકાલ લોકોને ગુજરાતી
ભાષામાં પરીવર્તન લાવવા માટેનું ભુત વળગ્યુ છે એટલે લોકો આંખો મીંચીને ઊંઝાની પાછળ
દોડે છે અને અન્ય લોકોને ઊંઝા જોડણીની ઊપયોગીતા અંગે "જાગૃત" કરે છે. મારે
આ ચર્ચામાં પડવાનો કોઇ જ ઇરાદો નહોતો છતાં પણ ક્યારેક મૌન સંમતિસુચક બની જતુ હોવાથી
લોકોને "જાગૃત" બનતા અટકાવવા માટે આ નાનકડો લેખ લખુ છુ.&lt;/p&gt;



&lt;p&gt;મને આ ઊંઝા જોડણી
માટે એક સરસ મજાનું રૂપક મળ્યુ છે. કદાચ આમ જનતા વ્યવસ્થિત રીતે મારો દૃષ્ટિકોણ સમજી
શકશે. હું ઊંઝા જોડણીને આતંકવાદ સાથે સરખાવવા માગુ છુ.&lt;/p&gt;

&lt;p&gt;આતંકવાદીઓ દેશમાં
પરીવર્તન લાવવા માંગે છે, દેશની રોનક બદલવા માંગે છે. આતંકવાદીઓ થોડાક મોટા મોટા માથાઓને
પોતાની તરફેણમાં કરીને પોતાના વિચારો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાની કોશીશ કરે
છે. તેઓ પોતાનો અમુલ્ય સમય નવા નવા વિચારો કરવામાં અને પોતાની વિચારસરણીને  કઇ રીતે લોકો પર લાદી શકાય તેમાં વ્યથિત કરે છે.
પરંતુ એ વિચારવાનો તેમને સહેજ પણ સમય નથી કે દેશની અત્યારની પરિસ્થિતિમાં તેઓ દેશને
કઇ રીતે આગળ લઇ જઇ શકે. તેઓ કહે છે કે સરકાર કંઇ કરી શકતી નથી એટલે અમારે અલગ રાજ્ય
જોઇએ અને અમે તેને નંદનવન બનાવીશું. અને પરિવર્તન દુનિયાનો નિયમ છે એટલે આપણે પરિવર્તન
લાવશું જ. અને એમાં પણ જો કોઇ આતંકવાદી "શહિદ" થાય તો તો પછી પુછવું જ રહ્યુ.
આ "શહિદ" ને પોરસાવી ને બીજા કેટલાય આતંકવાદીઓ ઊભા કરાય છે.&lt;/p&gt;



&lt;p&gt;આજ રીતે ઊંઝા જોડણીના
સમર્થકો પણ ગુજરાતી ભાષામાં પરિવર્તન લાવવા માંગે છે. તેઓ થોડાક મોટા મોટા લેખકોને
ઊંઝા જોડણી કેટલી બધી સારી છે એ વિશે વાત કરીને પોતાની પાટલી પર બેસાડી તેમના ખભા પરથી
બંદુક ચલાવે છે. તેઓ ઊંઝા જોડણીને હજુ કઇ રીતે સારીને સારી બનાવી શકાય એમ વિચારે છે
પણ તેઓને એ વિચારવાનો સમય જ નથી મળતો કે આપણી ગુજરાતી ભાષાનો વ્યાપ કઇ રીતે વધારી શકાય
અને વધારે ને વધારે લોકોને કઇ રીતે સુલભ બને તે દિશામાં યોગ્ય પગલા લઇ શકાય. તેઓ વિચારે
છે કે જોડણીને કારણે ગુજરાતી ભાષા મૃતપ્રાય પડી છે અને જો ઊંઝા જોડણી અપનાવવામાં આવે
તો ગુજરાતી ભાષાનો ઉદ્ધાર થઇ જાય અને ગુજરાતી લેખકો અને વાચકોની સંખ્યામાં ખુબ જ વધારો
થઇ જાય. પરંતુ એ ભુલી જવાય છે કે તેઓ લોકોમાં ગુજરાતી વાંચન/લેખનનો રસ કેળવી શકશે નહી
અને જો તેઓ ગુજરાતી વાંચન/લેખનનો રસ કેળવી શકવાને સમર્થ હોય તો પછી ઊંઝા જોડણીની જરૂરત
જ રહે નહી. કારણ કે રસપુર્વક વાંચન/લેખન કરનાર વ્યક્તિ શુદ્ધ ગુજરાતી આપોઆપ જ શીખી
જાય છે.&lt;/p&gt;&lt;p&gt;મને તો ઊંઝા જોડણીનો
એક જ ફાયદો દેખાય છે. જો હું શુદ્ધ ગુજરાતીમાં લખતો હોઉ તો મને ડર લાગે છે કે જો જોડણીની
ભુલ પડે તો મને કોઇક કહી જાય કે તને ગુજરાતી નથી આવડતુ. પરંતુ જો હું ઊંઝા જોડણીનું
શરણું સ્વિકારુ તો પછી હું છાતી ઠોકીને ગુજરાતીમાં મન ફાવે તેમ લખી શકુ અને ઊંઝા જોડણીને
મારી શાહમૃગવૃત્તિની ઢાલ બનાવી શકુ.&lt;/p&gt;બની શકે કે આ લેખમાં
જોડણીની ભુલ હોઇ શકે પરંતુ મને એની શરમ નથી આવતી કે લોકોનો ડર પણ નથી લાગતો કારણ કે હું શુદ્ધ ગુજરાતી શીખી રહ્યો
છુ.

</description>
      <link>http://www.gurjardesh.com/સહતય/સહતય/tabid/133/EntryID/63/Default.aspx</link>
      <comments>http://www.gurjardesh.com/સહતય/સહતય/tabid/133/EntryID/63/Default.aspx#Comments</comments>
      <guid isPermaLink="true">http://www.gurjardesh.com/Default.aspx?tabid=133&amp;EntryID=63</guid>
      <pubDate>Wed, 30 May 2007 18:57:00 GMT</pubDate>
      <slash:comments>8</slash:comments>
      <trackback:ping>http://www.gurjardesh.com/DesktopModules/Blog/Trackback.aspx?id=63</trackback:ping>
    </item>
    <item>
      <title>સર્જિતના રિસર્ચ પેપર-૪ પર પ્રતિભાવ - વિશાલ મોણપરા</title>
      <description>સર્જિતે પોતાના બ્લોગ
પર &lt;a href="http://sarjeet.wordpress.com/2007/03/15/paper4/" target="_blank"&gt;http://sarjeet.wordpress.com/2007/03/15/paper4/&lt;/a&gt; આ પેપર મુક્યુ છે. તેનો પ્રતિભાવ
હું ત્યાં આપવાની જગ્યાએ થોડી વિસ્તારથી વાત કરવા માટે અહિંયા મુકુ છુ. માટે આપને સૌપ્રથમ તો આ પેપર વાંચવા માટે અનુરોધ
છે.



&lt;p&gt;સૌ પ્રથમ તો હું
કબુલ કરુ છુ કે હું આસ્તિક માણસ છુ અને ઇશ્વરમાં સંપુર્ણ શ્રદ્ધા ધરાવું છુ અને છતાં
પણ સહુના વિચારો નો આદર કરુ છુ. હું ધર્મને આધુનિક વિચારસરણીના દ્રષ્ટિબિંદુથી પણ જોઇ
શકુ છુ અને જો કોઇ પણ વસ્તુ અયોગ્ય લાગે તો પ્રાચિન રૂઢિઓને ફગાવી દેવામાં પણ માનું
છુ.&lt;/p&gt;



&lt;p&gt;હું જે આજે પ્રતિભાવ
આપી રહ્યો છુ તે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય એવી ભગવદ્  ગીતાનો આધાર લઇને આપવાનો પ્રયત્ન કરીશ કે જેથી કોઇને
કોઇ પણ જાતની શંકા રહે નહી.&lt;/p&gt;શરૂઆત કરીએ આપણે
શ્રદ્ધાથી. &lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-04-39.html" target="_blank"&gt;ભ.ગી. (૪-૩૯)&lt;/a&gt;માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધા રાખનારો માનવી જ્ઞાન
પામે છે તેથી આપણને જો શ્રદ્ધા હોય તો જ આપણે ખરુ જ્ઞાન પામી શકીએ છીએ. આ જ્ઞાન પામીને
આપણે ભગવાનને પામીએ છીએ. પરંતુ દરેક વ્યક્તિની બુદ્ધિ અલગ પ્રકારની હોય છે અને તેની
પાત્રતા પણ અલગ પ્રકારની હોય છે જેથી દરેકને મળતું જ્ઞાન પણ અલગ અલગ હોય છે. &lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-04-11.html" target="_blank"&gt;ભ.ગી.
(૪-૧૧)&lt;/a&gt;માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો મને જે રીતે પામે છે તેને હું તે રીતે
બદલો આપું છુ.



&lt;p&gt;હિંદુ ધર્મના સઘળા
શાસ્ત્રોને બે વિભાગમાં વહેંચવામાં આવેલ છે શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે ભગવાન પાસેથી
સાંભળેલું અને સ્મૃતિ એટલે જે વ્યક્તિએ ભગવાન પાસેથી સાંભળેલું હોય તેની પાસેથી સાંભળીને
યાદ રાખેલું. વેદ એ શ્રુતિ પ્રકારમાં આવે છે. શાસ્ત્રોમાં શબ્દ-પ્રમાણને સૌથી શ્રેષ્ઠ
માન્યુ છે. એટલે કે જો કોઇ વ્યક્તિ કંઇ પણ બોલે તો તેનું મહત્વ બીજા આંખે દેખ્યા પુરાવા
કરતાં પણ શ્રેષ્ઠ છે. &lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-04-01.html" target="_blank"&gt;ભ.ગી. (૪-૧/૨)&lt;/a&gt;માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મેં સઘળુ જ્ઞાન
માનવીને (બોલીને) આપ્યુ પરંતુ સમયની સાથે તે નષ્ટ થતું ગયુ. &lt;/p&gt;



&lt;p&gt;&lt;b&gt;સ્વર્ગ&lt;/b&gt;&lt;/p&gt;ઉપરના ફકરા પ્રમાણે
ભગવાને આપેલું જ્ઞાન એટલે જ વેદ તથા અન્ય શાસ્ત્ર. એટલે શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગને
શ્રદ્ધા સાથે સ્વિકારવું જ રહ્યુ.



&lt;p&gt;&lt;b&gt;વેદકાળમાં મૂર્તિપૂજા
નહોતી.&lt;/b&gt;&lt;/p&gt;



&lt;p&gt;વેદકાળ એ સત્વ ગુણથી
ભરેલ હોવાથી સઘળા લોકો બ્રહ્મ અને પરબ્રહ્મને જાણતા હતા અને તેથી જ કોઇને મુર્તિપુજાની
આવશ્યકતા ન લાગી હોય અને સમય જતાં લોકો રજો અને તમોગુણમાં પ્રવર્તતા હોવાથી આધ્યાત્મિક
માર્ગમાં કોઇ સહારાની જરૂર પડી હોય અને તેથી જ લોકોએ મુર્તિપુજાની શરૂઆત કરી હશે કે
જેથી આરામથી ભગવાનનું ભજન કરી શકે. મુર્તિપુજા સમજાવવા માટે એક ઉદાહરણ આપુ છુ. ધારો
કે કોઇ વ્યક્તિ ફોન પર તેના પપ્પા સાથે વાત કરી રહ્યો છે. તેનો મિત્ર આવીને કહે છે
કે તુ કોની સાથે વાત કરી રહ્યો છે તો જવાબ હશે પપ્પા સાથે. પરંતુ હકીકતમાં તો એ ફોન
સાથે જ વાત કરી રહ્યો છે. અહીં ફોન એક માધ્યમ છે પપ્પા સાથે વાત કરવાનું. તેવી જ રીતે
મુર્તિ એ ભગવાન અને ભક્ત વચ્ચેનું એક માધ્યમ છે.&lt;/p&gt;&lt;b&gt;અગત્સ્ય, પરશુરામ,
વિશ્વામિત્ર, દુર્વાસા નું ઉદાહરણ&lt;/b&gt;



&lt;p&gt;&lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-05-17.html" target="_blank"&gt;ભ.ગી. (૫-૧૮)&lt;/a&gt;માં
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્ઞાન પામેલા માટે તો દરેક તરફ સમદૃષ્ટિ હોય છે. અગત્સ્ય,
પરશુરામ, વિશ્વામિત્ર, દુર્વાસા દરેક બ્રહ્મવેત્તા હતા તેથી તેઓ પ્રકૃતિને પણ સાહજિક
રીતે બ્રહ્મ જાણીને પુજતા. આજના સમયમાં પણ માનવ અને પ્રકૃતિ અલગ નથી છતાં પણ માયાના
આવરણને કારણે આપણે સઘળું અલગ અલગ જોઇએ છીએ. &lt;/p&gt;



&lt;p&gt;&lt;b&gt;બ્રહ્મા, વિષ્ણું,
મહેશ ઉદભવ્યા&lt;/b&gt;&lt;/p&gt;



&lt;p&gt;ભગવાન ક્યારેય ઉદભવતા
નથી પણ તેમનો પ્રાદુર્ભાવ થાય છે. (&lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-04-06.html" target="_blank"&gt;ભ.ગી. (૪-૬)&lt;/a&gt;). &lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-04-08.html" target="_blank"&gt;ભ. ગી.(૪-૭/૮)&lt;/a&gt;માં ભગવાન શ્રી કૃષ્ણ
કહે છે હું મારી જ માયામાંથી મારી જ જાતનું સર્જન કરુ છુ.&lt;/p&gt;



&lt;p&gt;&lt;b&gt;અનેક અનુયાયી અને
પંથો&lt;/b&gt;&lt;/p&gt;



&lt;p&gt;ભગવાન જ્યારે જ્યારે
અલગ અલગ રૂપ લઇને પૃથ્વી પર અવતાર લે છે ત્યારે 
ત્યારે એ સમયમાં હાજર રહેલા/ભવિષ્યમાં જન્મ લેનાર મનુષ્યો તેમનું અનુકરણ કરે
છે.(ભ. ગી.(&lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-03-21.html" target="_blank"&gt;૩-૨૧&lt;/a&gt;/&lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-04-11.html" target="_blank"&gt;૪-૧૧&lt;/a&gt;)) તેથી જ હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયો  અસ્તિત્વમાં આવેલ છે. અને વળી ભગવાનની પણ કરૂણા
દૃષ્ટિ પણ કેવી? માનવીને પોતાના પસંદ પડતા રૂપને ભજવાની સ્વતંત્રતા આપેલી છે. અને તેથી
જ આ સંપ્રદાયો અને પંથો આ રીતે ચાલતા જ રહેશે. &lt;/p&gt;



&lt;p&gt;&lt;b&gt;વર્ણવ્યવસ્થાની જડતા&lt;/b&gt;&lt;/p&gt;



&lt;p&gt;વળી &lt;a href="http://www.bhagavad-gita.org/Gita/verse-04-13.html" target="_blank"&gt;ભ.ગી.(૪-૧૩)&lt;/a&gt;માં
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ ચાર વર્ણાશ્રમોનું સ્થાપન તો તેમણે પોતે જ માનવીમાં રહેલા
ગુણોને અને તેમના કર્મોને આધારે કર્યુ છે. &lt;/p&gt;



&lt;p&gt;&lt;b&gt;જો આ સઘળું સમજાવનાર
જો ખુદ ભગવાન શ્રી કૃષ્ણ હોય તો પછી ભુલ કોની કહેવાય? સમજનારની કે સમજાવનારની?&lt;/b&gt;&lt;/p&gt;

</description>
      <link>http://www.gurjardesh.com/સહતય/સહતય/tabid/133/EntryID/62/Default.aspx</link>
      <comments>http://www.gurjardesh.com/સહતય/સહતય/tabid/133/EntryID/62/Default.aspx#Comments</comments>
      <guid isPermaLink="true">http://www.gurjardesh.com/Default.aspx?tabid=133&amp;EntryID=62</guid>
      <pubDate>Thu, 15 Mar 2007 17:34:00 GMT</pubDate>
      <slash:comments>4</slash:comments>
      <trackback:ping>http://www.gurjardesh.com/DesktopModules/Blog/Trackback.aspx?id=62</trackback:ping>
    </item>
    <item>
      <title>દિલકી સુનો - રમેશ શાહ</title>
      <description>
		&lt;p&gt;‘ઓફીસ જાવ એ પહેલાં ઘર ખર્ચ ના પૈસા આપતાં જજો’ .  ધર્મપત્ની નો અવાજ.&lt;br /&gt;‘પપ્પા મારે પણ પાંચ (હજાર) આજે તો જોશે જ’ . મોટા ચિરંજીવી નો હુકમ થયો.&lt;br /&gt;‘મેં તો તમને ત્રણ દિવસ થી કહ્યુ છે, મારી ફ્રેન્ડ ની બર્થડે આવે છે . મારે આજે એના માટે પ્રેઝન્ટ લાવવાની છે. કેટલા આપશો?’ મારી દિકરી પણ પારકી થાપણ સોનલ બહુ સલૂકાય થી પ્રગટી.&lt;br /&gt;‘ભાઈ, તું કેમ બાકી રહી ગયો છે ?’ નાના રાજીવ ને મેં ખુબ પ્રેમ થી પુછ્યુ. &lt;br /&gt;હજું તો હું શ્વાસ લઊ એ પહેલા મારા પર રીતસર નો હુમલો થયો, મારાજ માનેલા અને સાચવેલાં પત્ની, પુત્રો, અને પુત્રી મારી સામે આવીને ઊભા રહ્યા. અને હું વધું નર્વસ થઈ ગયો. &lt;/p&gt;
		&lt;p&gt;મેં શ્રીમતી ને શાંતિથી - લીટરરીલી શાંતિથી -પુછ્યુ ‘બે દિવસ પહેલાં જ જે પૈસા આપ્યા હતા તેનું શું કર્યુ ?’ &lt;br /&gt; ‘હિસાબ ની ડાયરી જોવી છે તમારે ?’ સીધો સવાલ ફેકાયો. ’પપ્પા તમને યાદ છે તમે મને સેલ ફોન લેવા ત્રીસ હજાર આપ્યા એ આપ્યા.પંદર દિવસ થી પુછ્યુ ય નથી કે હું કેમ મેનેજ કરું છુ’.&lt;/p&gt;
		&lt;p&gt;‘ભાઈ તું તો બોલતો જ નહી, મને બધી ખબર છે તારા પૈસા ક્યાં પૂરા થાય છે .... આ મને જ પુછ કે છેલ્લા વીક પછી મેં કેવી રીતે ફક્ત બે હજાર માં ચલાવ્યું છે’ . નાના ની નાજુક રજુવાત પણ બહુ નફટાય થી થઈ. ’આ અમેય સમજીયે છીયે કે કેટલી મોંઘવારી છે . પણ પપ્પા મારા સ્કુટી માં પેટ્રોલ ન પુરાવું ? પંચર પડે કે નાનુ મોટુ રીપેરીગ કે પછી નો એંન્ટ્રી માં પોલીસ પકડે તો મારે એનું ભલું ન કરવું?’ મારી લાડકી બોલી.&lt;/p&gt;
		&lt;p&gt;‘હવે તો તમે બધ્ધા મારું ભલું કરો તો મહેરબાની’ . મારાથી અકળાય ને રીતસર રાડ પડાય ગઈ. મેં સમજાવવાની કોશીશ કરી કે હુ એકલો કમાવવા વાળો અને ખર્ચવાવાળા પાંચ. બધાની જરૂરીયાત મારા એકલા થી હવે નથી સંતોષાતી.તમે બધા એક કામ કરો..મારી આવક ને ધ્યાન માં રાખીને આપણે સાથે બેસીને એક બજેટ બનાવીયે.  આ રવીવારે સૌ પોતપોતાની અંગત જરૂરીયાતો ની યાદી બનાવો એમાં ઘરખર્ચ ઉમેરતા છેવટે શું બચે છે તે જોઈએ.શરત માત્ર એટલી જ કે પર્સનલ નીડ્સ માં કાપ મુકવો પડે તો મુકવાની તૈયારી બધાયે રાખવી પડશે કારણ ગમેતેટલું વિચારીયે પણ ઘર નો ખર્ચો તો મમ્મી ને બરોબર જ લાગશે.&lt;/p&gt;
		&lt;p&gt;‘એવું  હોય તો કાલથી તમે જ ઘરનો કારભાર સંભાળો.એક તો પાય પાય બચાવીને ઘર ચલાવવાનુ અને ઉપરથી આખી જીંદગી મારે તો આજ સાંભળવાનુ. તમને બધાને એકેય વસ્તુ વગર ચાલતું તો છે નૈ છતાં હું જ પૈસા ખર્ચુ છુ? મારો જ હાથ છુટ્ટો છે? આ બધું હુ કાંઈ મારા માટે નથી લાવતી’ . સવિતા ના ઉકળાટ થી સીન જામતો જતો હતો.&lt;br /&gt;‘મોમ તારે પર્સનલ લેવાની જરૂર નથી’ . મોટો ચિરંજીવ આજે મને સમજુ લાગ્યો.&lt;br /&gt;‘હા પપ્પા ની વાત જનરલ છે . આપણે ઘરખર્ચ નુ પણ બજેટીગ કરશુ. બસ તને જે તે હેડ માં જેટલાં પૈસા ફાળવવા માં આવે તારે એ કામ માટે એટલા જ પૈસા માં ચલાવવાનું સીમ્પલ’ . દિકરી ડહાપણ નો દરીયો બની. &lt;br /&gt;‘પહેલાં તમારા બાપ ને સમજાવો કે જેટલાં પૈસા સીગરેટ પાછળ ખર્ચે છે એટલાં જો મને આપે તો એક સારી સાડી તો લઈ શકું’ . ટીપીકલ મીડલ ક્લાસ ફેમિલી ના ઘર નો સીન. ‘જીદગી માં એકજ કુટેવ પડી છે એ છુટતી નથી એ તને ભારે લાગે છે ?’  મારા થી બોલાય ગયું.&lt;br /&gt;‘પપ્પા તમારે ઓફીસ નું મોડું નથી થતું ?’ રાજીવે મને બચાવ્યો. હું બહાર નીક્ળ્યો અને એય મારી સાથે બહાર આવ્યો. ચાલો હું તમને ઓફીસ મૂકતો જાઉ.&lt;br /&gt;મને નવાય તો લાગી પણ હું એના સ્કુટર પર પાછળ બેસવા જ જતો તો ત્યાં... &lt;br /&gt;મને ત્રણ હજાર રૂપીયા આપો મારે કામ છે. નાના એ પોત પ્રકાશ્યુ. મારી પાસે હમણા એટલાં નથી. જોયું નહી તારી મમ્મી ને બે હજાર આપ્યા એ? મારી સામે એ રીતે તાકી રહ્યો જાણે મેં કોઈ ભુલ કરી હોય.કહે ‘વાંધો નહી સાંજે આવો ત્યારે લેતા આવજો’ . ’પપ્પા મને યાદ આવ્યું...મારે તો કોલેજ જવાનુ છે . તમે બસ માં જતાં રહો. બસ સ્ટેન્ડ સુધી મૂકી દઉં ?’&lt;br /&gt;‘મહેરબાની દિકરા હું જાતે જઈ શકીશ’ .મનોમન વિચારતો બે પગલાં ચાલ્યો હોઈશ અને મારી પાછળ સ્કુટર નો હોર્ન વાગ્યો . ફરીને જોયું તો બ્રાંડ ન્યુ સ્કુટર પર મારો મિત્ર ગોપાલ.&lt;br /&gt;‘ઓફીસ જવું છે ને ? ચાલ તને પહેલાં મુકી દઉં. હું ગોપીપુરા જવાનો છુ’ . હું પાછળ બેઠો. ‘સ્કુટર નવું લીધું ?’ ’મારા દિકરાયે મને બર્થ-ડે ગીફ્ટ આપી’ . હું શું બોલું ?&lt;/p&gt;
		&lt;p&gt;રવીવાર એ સામાન્ય રીતે રજાનો દિવસ.આરામ નો દિવસ. અમે આરામ થી બજેટ બનાવવા બેઠા.&lt;br /&gt;‘ઓકે ચિરંજીવ તને આ મહીને કેટલાં પૈસા જોઈશે’ ?   મેં પહેલ મોટા થી કરી.&lt;br /&gt;‘આપણે ઘર ના ખર્ચા નું પહેલાં વિચારીયે તો કેમ’ ? મમ્મી નો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય’ .&lt;br /&gt;‘કેમ હું જ તમને પ્રોબ્લેમ લાગું છું ? મારી પણ કંઈ જીંદગી છે? ઘરમાં ગોંધાય ને કામ કરવા સિવાય મારે બીજું કરવાનું શું છે’ ? શ્રીમતી બોલ્યા ને મારી આંખમાં આસું આવતા આવતા રહી ગયા. આસું આવ્યા હોત તો  એટલાં માટે કે મને થયું કેટલી દુ:ખી છે, એને કોણ સમજાવે કે મને એના માટે કેટલો પ્રેમ છે. ફક્ત મને સારું સારું બોલતા નથી આવડતું એજ મારો વાંક.&lt;br /&gt;ગાડી બીજે પાટે જઈ રહી છે એવુ લાગતાં જ સોનલે બાજી સંભાળી ‘ઓકે મમ્મી તનેં શું લાગે છે ઘર માં અનાજ કરીયાણુ, દુધ, છાપાનું બીલ,લાઈટ બીલ,ટેલીફોન બીલ,શાકભાજી.ગ્રોસરી,કામવાળી બાય નો પગાર,લોન્ડ્રી નું બીલ,કેબલ નું ભાડુ વગેરે વગેરે માં મહીને કેટલાં પૈસા જોઈયે’?&lt;br /&gt;‘હમણા તો હું બાર હજાર માં ચલાવું છુ પણ ઓછા પડે છે’ . સવિતા બોલી.&lt;br /&gt;‘મને લાગે છે કે આપણે કોઈ પણ રીતે ઘર નો ખર્ચ ઘટાડવો જોઈએ’ . હું ડરતા ડરતા બોલ્યો.&lt;br /&gt;‘કરેક્ટ’ . રાજીવે ટાપસી પૂરી.&lt;br /&gt;‘ઘટાડે તો ક્યાંથી.વધારો થશે .તારા પપ્પા ની દવા, મારા ડોક્ટર ના ખર્ચા એ બધું ઘર ખર્ચ માં નહી ગણવાનું’ ?&lt;br /&gt;‘એટલે બાર ને બદલે પંદર હજાર માં ચાલી રહેવું જોઈએ’.  હું બધાની વાતો સાંભળતો હતો.&lt;br /&gt;‘પપ્પા મારે તો સોની ની હોમથીયેટર સીસ્ટમ લેવીજ છે’ .પહેલી ડીમાંડ રાજીવ ની . ’મારે લેપટોપ લેવાનું છે’ . સોનલે તોપ ફોડી. ‘મારા સેલ મા મેમરી ઓછી છે મારે નોકીયા નો નવો મોબાઈલ લેવો છે’.&lt;br /&gt;મનમાં મેં કહ્યું કોના બાપ ની દિવાળી.?&lt;br /&gt;‘મારા બહાર પહેરવાના કપડાં સાઉ પતી ગયા છે . ત્રણ મહીના થી એકે કપડું નથી લીધું’ . મમ્મી એ ફરીયાદ ના સૂર માં માંગણી મૂકી.&lt;br /&gt;એલા કોઈક તો કહો કે પપ્પા તમારે કાઈ નથી જોઈતું? હું મનમા મનમાં વિચારતો હતો. છેવટે ન રહેવાતાં મારાથી બોલાય ગયું કે ‘મારાય કપડાં ફાટ્યા છે. મેં પાંચ પાંચ વર્ષ થી એક જોડી પેંન્ટ - શર્ટ પણ નથી કરાવ્યા.ઓફીસ માં મારે શરમાવુ પડે છે’.&lt;br /&gt;‘હા હા આ વખતે તો તમારા પણ બે-ત્રણ જોડી કરાવી જ લેવા છે ને...આ મહિને અમારા બધાનુ પતે પછી આવતાં મહિને તમારો વારો . આ મહિને ખર્ચા વધારે છે એટલું તો તમે સમજો’ ? મારે સમજવું જ રહ્યું. હું શું બોલુ ? મનોમન વિચાર આવ્યો કે ક્યારેક કોઈક તો પુરુષ ના બલિદાન ની નોંધ લે. સ્ત્રી નો પ્રેમ, સહનશીલતા,સંવેદનશીલતાં ભાવના,કુર્બાની ની કેટકેટલી વાતો લખાય છે.છાપાં માં કટાર લખાય, ઈતીહાસ લખાયા છે પણ પુરુષ ના “કાંઈ નથી જોઈતુ” ને દુનિયા ક્યારેય નહી જોવે? એની વ્યથા ની કોઈ કથા નહી વંચાય?&lt;/p&gt;
		&lt;p&gt;ઘરની એકેક વ્યકતિ ની તમામ જરુરીયાતો પુરી કરવા જીંદંગી આખી ખર્ચી નાખનાર ને ક્યારેક તો કોઈ પૂછે- તારી પાસે શું છે?તને શું જોઈએ છે.? બધાય ને બધું આપવામાં બધુ જ ખર્ચી નાંખ્યા પછી ની જીંદગી ની કેવી અવદશા.&lt;/p&gt;
		&lt;p&gt;--&lt;br /&gt;રમેશ શાહ&lt;/p&gt;
		&lt;p&gt; &lt;/p&gt;
</description>
      <link>http://www.gurjardesh.com/સહતય/સહતય/tabid/133/EntryID/59/Default.aspx</link>
      <comments>http://www.gurjardesh.com/સહતય/સહતય/tabid/133/EntryID/59/Default.aspx#Comments</comments>
      <guid isPermaLink="true">http://www.gurjardesh.com/Default.aspx?tabid=133&amp;EntryID=59</guid>
      <pubDate>Fri, 22 Dec 2006 17:12:00 GMT</pubDate>
      <slash:comments>9</slash:comments>
      <trackback:ping>http://www.gurjardesh.com/DesktopModules/Blog/Trackback.aspx?id=59</trackback:ping>
    </item>
  </channel>
</rss>