Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી લેખો
Author: ગુજરાતી સાહિત્ય Created: 4/22/2006 4:45 PM
આ વિભાગમાં આપ જુદા-જુદા લેખકોના રસિક લેખો માણી શકો છો.

ઊંઝા જોડણી વિશેના મારા વિચારો - વિશાલ મોણપરા
By ગુજરાતી સાહિત્ય on 5/30/2007 1:57 PM

આજકાલ લોકોને ગુજરાતી ભાષામાં પરીવર્તન લાવવા માટેનું ભુત વળગ્યુ છે એટલે લોકો આંખો મીંચીને ઊંઝાની પાછળ દોડે છે અને અન્ય લોકોને ઊંઝા જોડણીની ઊપયોગીતા અંગે "જાગૃત" કરે છે. મારે આ ચર્ચામાં પડવાનો કોઇ જ ઇરાદો નહોતો છતાં પણ ક્યારેક મૌન સંમતિસુચક બની જતુ હોવાથી લોકોને "જાગૃત" બનતા અટકાવવા માટે આ નાનકડો લેખ લખુ છુ.

મને આ ઊંઝા જોડણી માટે એક સરસ મજાનું રૂપક મળ્યુ છે. કદાચ આમ જનતા વ્યવસ્થિત રીતે મારો દૃષ્ટિકોણ સમજી શકશે. હું ઊંઝા જોડણીને આતંકવાદ સાથે સરખાવવા માગુ છુ.

આતંકવાદીઓ દેશમાં પરીવર્તન લાવવા માંગે છે, દેશની રોનક બદલવા માંગે છે. આતંકવાદીઓ થોડાક મોટા મોટા માથાઓને પોતાની તરફેણમાં કરીને પોતાના વિચારો વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવાની કોશીશ કરે છે. તેઓ પોતાનો અમુલ્ય સમય નવા નવા વિચારો કરવામાં અને પોતાની વિચારસરણીને  કઇ રીતે લોકો પર લાદી શકાય તેમાં વ્યથિત કરે છે. પરંતુ એ વિચારવાનો તેમને સહેજ પણ સમય નથી કે દેશની અત્યારની પરિસ્થિતિમાં તેઓ દેશને કઇ રીતે આગળ લઇ જઇ શકે. તેઓ કહે છે કે સરકાર કંઇ કરી શકતી નથી એટલે અમારે અલગ રાજ ...

Comments (8) More...

સર્જિતના રિસર્ચ પેપર-૪ પર પ્રતિભાવ - વિશાલ મોણપરા
By ગુજરાતી સાહિત્ય on 3/15/2007 12:34 PM
સર્જિતે પોતાના બ્લોગ પર http://sarjeet.wordpress.com/2007/03/15/paper4/ આ પેપર મુક્યુ છે. તેનો પ્રતિભાવ હું ત્યાં આપવાની જગ્યાએ થોડી વિસ્તારથી વાત કરવા માટે અહિંયા મુકુ છુ. માટે આપને સૌપ્રથમ તો આ પેપર વાંચવા માટે અનુરોધ છે.

સૌ પ્રથમ તો હું કબુલ કરુ છુ કે હું આસ્તિક માણસ છુ અને ઇશ્વરમાં સંપુર્ણ શ્રદ્ધા ધરાવું છુ અને છતાં પણ સહુના વિચારો નો આદર કરુ છુ. હું ધર્મને આધુનિક વિચારસરણીના દ્રષ્ટિબિંદુથી પણ જોઇ શકુ છુ અને જો કોઇ પણ વસ્તુ અયોગ્ય લાગે તો પ્રાચિન રૂઢિઓને ફગાવી દેવામાં પણ માનું છુ.

હું જે આજે પ્રતિભાવ આપી રહ્યો છુ તે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય એવી ભગવદ્  ગીતાનો આધાર લઇને આપવાનો પ્રયત્ન કરીશ કે જેથી કોઇને કોઇ પણ જાતની શંકા રહે નહી.

શરૂઆત કરીએ આપણે શ્રદ્ધાથી. ભ.ગી. (૪-૩૯)માં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રદ્ધા રાખનારો માનવ ...
Comments (4) More...

દિલકી સુનો - રમેશ શાહ
By ગુજરાતી સાહિત્ય on 12/22/2006 12:12 PM

‘ઓફીસ જાવ એ પહેલાં ઘર ખર્ચ ના પૈસા આપતાં જજો’ .  ધર્મપત્ની નો અવાજ.
‘પપ્પા મારે પણ પાંચ (હજાર) આજે તો જોશે જ’ . મોટા ચિરંજીવી નો હુકમ થયો.
‘મેં તો તમને ત્રણ દિવસ થી કહ્યુ છે, મારી ફ્રેન્ડ ની બર્થડે આવે છે . મારે આજે એના માટે પ્રેઝન્ટ લાવવાની છે. કેટલા આપશો?’ મારી દિકરી પણ પારકી થાપણ સોનલ બહુ સલૂકાય થી પ્રગટી.
‘ભાઈ, તું કેમ બાકી રહી ગયો છે ?’ નાના રાજીવ ને મેં ખુબ પ્રેમ થી પુછ્યુ.
હજું તો હું શ્વાસ લઊ એ પહેલા મારા પર રીતસર નો હુમલો થયો, મારાજ માનેલા અને સાચવેલાં પત્ની, પુત્રો, અને પુત્રી મારી સામે આવીને ઊભા રહ્યા. અને હું વધું નર્વસ થઈ ગયો.

મેં શ્રીમતી ને શાંતિથી - લીટરરીલી શાંતિથી -પુછ્યુ ‘બે દિવસ પહેલાં જ જે પૈસા આપ્યા હતા તેનું શું કર્યુ ?’
 ‘હિસાબ ની ડાયરી જોવી છે તમારે ?’ સીધો સવાલ ફેકાયો. ’પપ્પા તમને યાદ છે તમે મને સેલ ફોન લેવા ત્રીસ હજાર આપ્યા એ આપ્યા.પંદર દિવસ થી પુછ્યુ ય નથી કે હું કેમ મેનેજ કરું છુ’.

‘ભાઈ તું તો બોલતો જ નહી, મને બધી ખબર છે તારા પૈસા ક્યાં પૂરા થાય છે .... આ મને ...

Comments (9) More...


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft