By ગુર્જરદેશ કાવ્યો on
8/30/2006 3:34 PM
ખોબો ભરીને અમે એટલું હસ્યાં કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં. કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ? ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ? કૂવો ભરીને અમે એટલું રડ્યાં કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.
|
By ગુર્જરદેશ બોધકથા on
8/30/2006
ભગવાન રામ ખુબ જ મોટા લડવૈયા હતા. તેમણે સઘળા શાસ્ત્રો અને શસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. મહર્ષિ વિશ્વામિત્રે તેમને એવા શસ્ત્રો આપ્યા હતા કે જેને બ્રહ્માંડમાં માત્ર તેમને જ ખબર હતી. વળી અગત્સ્ય ઋષિએ તેમને ઘણી જ શક્તિ આપી હતી. જો આપણે ભગવાન રામની બહાદુરીના પરચા જોઇએ તો૧) માત્ર એક જ બાણથી તાડકા નામની વિશાળકાય રાક્ષસીને મારી નાખી.૨) બે સમાંતર બાણથી સુબાહુ અને મારીચ નામના રાક્ષસોનો સંહાર કર્યો.૩) ખુબ જ આસાનીથી ભગવાન શિવના ધનુષ્યને ઉપાડ્યુ કે જેને સ્વયંવરના સ્થળ પર લાવવા માટે ૫૦,૦૦૦ લોકોનો સહારો લેવો પડ્યો હતો.૪) રામે ખર, દુષણ, તેમના ૧૦૦૦ ભાઇ અને તેમના સૈન્યનો માત્ર ૧૪ મિનિટમાં એકલા હાથે નાશ કર્યો હતો.આટલા શક્તિશાળી હોવા છતાં પણ તેઓએ આ શક્તિનો ઉપયોગ પ્રદર્શન માટે ક્યારેય પણ કર્યો નહોતો. સમુદ્ર પર ગુસ્સે થવાના પ્રસંગ પરથી આ સારી રીતે જાણી શકાય છે. પ્રસંગ કંઇક આવો બન્યો હતો.રાવણે સીતા માતાને ૩૦ દિવસનો સમય આપ્યો હતો. જો સીતાજી રાવણ સાથે લગ્ન માટે માને નહી તો રાવણ તેમને મારી નાખે. બીજી તરફ ભરતજીએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે ૧૪ વર્ષના વનવાસ પછી જો રામ પરત નહી આવે તો પોતાની જાતની આહુતી આપશે. ભગવાન રામ અને તેની સેના જ્યારે દક્ષિણ...
Read More »
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/25/2006 1:09 PM
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ ! તારો જે દુરદુર થી આવકાર હોય છે ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/19/2006 9:52 AM
શબ્દ એનો રોજ પડઘાયો હતો તે છતાં ક્યાં અર્થ સમજાયો હતો
મૂલ્ય જેવું કૈક બાજુમાં મૂકી હું વિના મૂલ્યે જ ગરવાયો હતો
રેતને ઢાંકી શકે ને જે કનક શોધમાં એની જ રઘવાયો હતો
એક રાખી મેં ય બારી કેમ કે દ્વારે ઉંબર એક અટવાયો હતો
એ હિસાબો પણ બધાં ખોટાં ઠર્યાં સાવ ખોટો આંક મંડાયો હતો
રાતના અંધારને જે જઇ મળ્યો એ જ મારો એક પડછાયો હતો
એટલે તો હું પ્રકાશી ના શક્યો પંડ મારો ક્યાંક ઢંકાયો હતો
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/16/2006 12:03 PM
ન મને તું કોઈ સવાલ કર ન તને હું કોઈ જવાબ દઉં મને મોગરા વિશે તું પૂછે તને હાથમાં હું ગુલાબ દઉં.
હું ભીનાશ ઓસથી બાદ પણ કરું તોય શેષ રહે ભીનાશ દે મને ભીનાશ ગણી ગણી તને ઓસનો હું હિસાબ દઉં.
શું પર્ણ ખરેલું શું રણ વળી રહી સાથસાથ વસંત શી તું સુવાસ દે મને ખોબલે હું વણીને વાંસની છાબ દઉં.
આ સમય સૂસવતો મને તને કરી દેશે હમણાં અલગ થલગ દે પતંગિયાનું વજન મને તને વાદળોનો હું દાબ દઉં.
તું લિપિના લોચલચકમાં પણ તું પ્રગટ ગુપ્ત છે અર્થમાં પણ મને તારો એક શબદ તું દે તને મારી કોરી કિતાબ દઉં.
|
By ગુર્જરદેશ બોધકથા on
8/15/2006
ગૌરમુખ મહર્ષિ એ ખુબ જ જાણીતા મહર્ષિ છે. તેઓ સેમિકા ઋષિના આજ્ઞાંકિત શિષ્ય હતા. પોતાનો અભ્યાસ પુરો થયા બાદ તેઓએ પોતાના જ્ઞાનને વહેંચવા માટે એક આશ્રમ સ્થાપ્યો. આશ્રમ એકદમ શાંત હતો. જો ગૌરમુખ મહર્ષિના શિષ્યો સમિધ માટે જંગલમાં જાય તો વૃક્ષો લળી લળીને તેમને પોતાની ડાળીઓ આપતા. જો તેમના શિષ્યો મંત્રોચ્ચારમાં ભુલ કરે તો પંખીઓ પોતાના મધુર સ્વરમાં તેમની ભુલ સુધારતા. કળીઓ પણ ભગવાનની પુજામાં ચડી શકે એ માટે આરતી સમયે જ ખીલતી. આ બધુ જ મહર્ષિના તપોબળને કારણે જ શક્ય બન્યુ હતુ.એક દિવસ રાજા દુર્જય પોતાની સેના લઇને જંગલમાં આવ્યો. ગૌરમુખ મહર્ષિએ રાજાને જોઇને તેની આગતાસ્વાગતા કરી અને રાત રોકાઇ જવા માટે વિનંતી કરી. જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ કોઇ પણ ઋષિના આશ્રમમાં જતા ત્યારે પોતાના આયુધ આશ્રમની બહાર રાખતા અને પછી ઋષિની પરવાનગી માંગતા હતા. જ્યારે દુર્જય પોતાની આખી સેનાને લઇને આવ્યો હતો. ગૌરમુખ ઋષિએ ક્રોધ પર કાબુ મેળવી લીધો હોવાને કારણે તેમણે રાજાની સારી રીતે આગતાસ્વાગતા કરી. ઋષિ પાસે આટલા લોકોને ઉતારો તેમ જ જમવા માટેની વ્યવસ્થા ન હોવાથી તેમણે નદીમાં એક ડુબકી લગાવી શુદ્ધ થઇને ભગવાન વિષ્ણુને યાદ કર્યા. ભગવાન વિષ્ણુ તરત જ દૃશ્યમાન થયા...
Read More »
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/14/2006 2:25 PM
હવે મન વગર મળાતું નથી બરફની વરાળે બળાતું નથી તમારાં ચરણ ચિન્હની કેડીએ અમસ્તુ હવે નીકળાતું નથી
સમય સાથે આગળ ઢસડાઊં છું વિતેલી પળોમાં વળાતું નથી. ચણાય છે દિવાલ પાછળ અને મને કાંઇ આગળ કળાતું નથી
હજુ હોઠ પર સુરની તાજગી ફક્ત મને સંભળાતું નથી હું છેદાઇ ચાલ્યો બધી બાજુથી હવે હું માં હું થી ભળાતું નથી
મુજ શ્વાસે શ્વાસે યાદ તારી હવે શ્વસનનું કબુતર પળાતું નથી અહીં જ્યોત પત્થરની છે ઠરેલ અને મીણથી પીગળાતું નથી.
જો આપને આ ગઝલના રચનાકારનું નામ ખબર હોય તો આપવા વિનંતી.
|
By ગુર્જરદેશ કાવ્યો on
8/9/2006 3:09 PM
ન આવે નીંદ ગયા એવું ખ્વાબ આપીને, ગગન ન રહેવા દીધું આફતાબ આપીને.
અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાયે, તમે ભલાઈ ન કરજો જવાબ આપીને.
મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે, તરસ વધારી દીધી છે શરાબ આપીને.
હવે કશો જ કયામતનો ડર રહ્યો ન ‘મરીઝ’ હું જઈ રહ્યો છું જગતને હિસાબ આપીને.
|
By ગુર્જરદેશ બોધકથા on
8/7/2006
એક સમયે બે સંતો નદી કિનારે પોતાના આશ્રમમાં રહેતા હતા. બંને ભાઇઓ હતા. એક દિવસ નાનો ભાઇ મોટા ભાઇના આશ્રમે ગયો. મોટા ભાઇ ન હોવાથી તે આંબાના વૃક્ષ નીચે બેસીને મોટા ભાઇની રાહ જોવા લાગ્યો. નાના ભાઇએ આંબા પરથી તેના માલિકને પુછ્યા વિના એક કેરી તોડીને ખાધી. મોટો ભાઇ જ્યારે આશ્રમે આવ્યો ત્યારે તેને ખબર પડી કે પોતાના નાના ભાઇએ તેના માલિકન પુછ્યા વિના કેરી તોડીને ખાધી. મોટા ભાઇએ નાના ભાઇને કહ્યુ "તારે પારકી વસ્તુ કદી પણ લેવી જોઇએ નહી. તને ખબર છે તેના માલિકે આ આંબાને ઉછેરવા માટે કેટલો પરિશ્રમ કરેલો છે? જ્યારે તેનો માલિક તને પરવાનગી આપે ત્યારે જ તારે કેરીને ખાવી જોઇએ."
મોટા ભાઇએ નાના ભાઇને રાજા પાસે જઇ સઘળી હકીકત જણાવી, સજા માંગવા માટે જણાવ્યુ. નાનો ભાઇ મોટા ભાઇની આજ્ઞા પ્રમાણે રાજા પાસે ગયો અને સઘળી હકીકત જણાવી અને રાજાને પોતાને યોગ્ય સજા આપવા માટે અનુરોધ કર્યો.
રાજા સઘળા શાસ્ત્રોનો અભ્યાસી હતો. તેને જવાબ આપ્યો, "હે સંત! તમે સામાન્ય માણસને ગમતી સઘળી સગવડોનો ત્યાગ કરીને માનવોના ઉત્કર્ષ માટે તમે તપ કરો છો. હું આપને કઇ રીતે સજા આપી શકું?". નાના ભાઇએ જવાબ આપ્યો, "હે રાજન! રાજાએ પોતાના કર્તવ્યમાંથી...
Read More »
|
By vijay on
8/2/2006 7:06 AM
પ્રાર્થના
હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું,
એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો - એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ -
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.
ઉમાશંકર જોશી
...
Read More »
|