|
માં - ઝવેરચંદ મેઘાણી |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
7/29/2006 3:30 PM
|
|
|
કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય હુતુતુતુની હડિયાપટીમા ં માનો શબદ સંભળાય- મા જાણે હીંચકોરતી વઈ ગઈ હાલાના સૂર થોડા વેરતી ગઈ...
શ્રાવણની કોક કોક વે'લી સવારમાં સાંભરી આવે બા પારિજાતકની મીઠી સુગંધ લઈ વાડીએથી આવતો વા દેવને પૂજતી ફૂલ લૈ લૈ મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું માની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું તગતગ તાકતી ખોળલે લૈ ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ
કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરી નૈ.
 |
|
Comments (0)
|
More...
|
|
|
આદમી - અમૃત 'ઘાયલ' |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
7/20/2006 9:41 PM
|
|
|
ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ, અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ
હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ, મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ
અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ
નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર! ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ
ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબતનાં કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ
|
 |
|
Comments (3)
|
|
|
|
રાજા નહુષની વાર્તા |
|
બોધ કથા
|
By ગુર્જરદેશ બોધકથા on
7/20/2006
|
|
|
|
આ વાર્તા રાજા નહુષની
છે કે જે આયુનો પુત્ર હતો અને યયાતિનો પિતા હતો. નહુષનો બ્રહ્મર્ષિ વસિષ્ઠ દ્વારા બાળપણમાં
ઉછેર થયો હતો. તેને સુખ અને દુઃખથી પર હોવાને લીધે તેને કોઇ પણ જાતનો અહંકાર નહતો.
બાળપણમાં દેવતાઓએ તેમના વખાણ કર્યા છતાં પણ તેમને અહંકાર આવ્યો ન હોવાથી તેમનું નામ
નહુષ પાડ્યુ. તેમણે સકળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને રાજા બની ગયો. તેમના સદગુણોની સુવાસ
થોડા જ વખતમાં ચોતરફ પ્રસરવા લાગી. તેમણે ૧૦૦ અશ્વમેઘ યજ્ઞો કર્યા અને તેઓ ઇન્દ્ર બનવા
માટે લાયક બન્યા.
એક વખત ઇન્દ્રે વૃત્રાસુરને
માર્યો. વૃત્રાસુર અસુર હતો છતા પણ તે બ્રાહ્મણ હતો. તેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું
પાતક લાગ્યુ અને નહુષને ઇન્દ્ર બનવાનો મોકો મળ્યો. નહુષને જ્યાં સુધી ૧૪ લોકના રાજા હોવાનુ માન ન આવ્યુ ત્યાં સુધી
તે સારો રહ્યો. અચાનક જ તેમાં અહંકાર આવ્યો. તેને લાગ્યુ કે તે મહાશક્તિશાળી છે અને
ક્યારેય પણ ખોટો હોઇ શકે નહી. તેણે શચીદેવી જેવી પતિવ્રતા સ્ત્રીને સંદેશો આપ્યો કે
હવેથી તે ઇન્દ્ર બન્યો હોવાથી પોતાની આજ્ઞા પાળે. જે ક્ષણથી તેણે એક પતિવ્રતા સ્ત્રી
પર દ્રષ્ટિ નાખી, તે જ ક્ષણથી તેના સદગુણો, પુણ્ય, તપોબ ...
|
 |
|
Comments (2)
|
More...
|
|
|
મારી ટુંકી વાર્તાઓ |
|
ગમતાનો ગુલાલ
|
By vijay on
7/13/2006 11:45 PM
|
|
|
|
બોંબ બ્લાસ્ટ
તે દિવસે અલ્પા અને નિરવ નાનકડા સેતુને લઇને ખુબજ ઝઘડ્યા. આમતો તેમનુ જીવન બે સમાંતર પાટા જેવુ હતુ. ક્યારેય કોઇ વાત પર એક મત નહીં.
|
 |
|
|
More...
|
|
|
ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું એકરૂપપણુ |
|
બોધ કથા
|
By ગુર્જરદેશ બોધકથા on
7/12/2006
|
|
|
|
એક દિવસ ભગવાન વિષ્ણુ
અને લક્ષ્મીમાતા વિહાર કરતા હતા. લક્ષ્મીમાતાએ પોતાના ભાઇ ઉછૈશ્રવમને જોયો. પોતાના
ભાઇને જોઇને લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુના અવાજને સાંભળ્યો નહી. ભગવાન વિષ્ણુએ માતાને
શ્રાપ આપ્યો કે તેઓ ભુલોકમાં જાય ને જ્યાં સુઘી તેમને પોતાના જેવા શક્તિશાળી પુત્રનો
જન્મ ન થાય ત્યાં સુધી તે વૈકુંઠમાં આવી શકશે નહી. ભુલોક પર આવીને માતાને થયુ કે આ
વખતે માત્ર ભગવાન શિવ જ તેમની મદદ કરી શકે છે. તેમણે તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન
કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા. માતાએ કહ્યુ "તમે અને વિષ્ણુ બંને સરખા છો, પરમાત્મા
છો. મને મદદ કરો." ભગવાન શિવે કહ્યુ "હે દેવી! તમે કેમ જાણો છો કે અમે બંને
સરખા જ છીએ?" માતાએ કહ્યુ "વિષ્ણુએ મને કહ્યુ હતુ. એક વખત તેઓ ધ્યાનમાં બેઠા
હતા ત્યારે મેં તેમને પ્રશ્ન પુછ્યો કે સમુદ્રમંથન વખતે મેં તમને સર્વના કર્તાહર્તા
જાણીને હું તમને વરી હતી તો પછી તમે કોનું ધ્યાન ધરો છો?". ભગવાને ઉત્તર આપ્યો
"હું ભગવાન શિવનું ધ્યાન ધરુ છુ. હું અને તે બંને સરખા છીએ. સર્વ જ્ઞાની લોકો
આ વાત જાણે છે. જો કોઇ મારો ભક્ત હોય અને તે ભગવાન શિવની નિંદા કરતો હોય તો હું તેને ...
|
 |
|
Comments (0)
|
More...
|
|
|
માં - રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદઃ ઝવેરચંદ મેઘાણી) |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
7/12/2006 11:30 PM
|
|
|
કોઈ દી સાંભરે નૈ મા મને કોઈ દી સાંભરે નૈ કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરે નૈ
કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા કાનમાં ગણગણ થાય હુતુતુતુની હડિયાપટીમા ં માનો શબદ સંભળાય- મા જાણે હીંચકોરતી વઈ ગઈ હાલાના સૂર થોડા વેરતી ગઈ...
શ્રાવણની કોક કોક વે'લી સવારમાં સાંભરી આવે બા પારિજાતકની મીઠી સુગંધ લઈ વાડીએથી આવતો વા દેવને પૂજતી ફૂલ લૈ લૈ મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ
સૂવાના ખંડને ખૂણે બેસીને કદી આભમાં મીટ માંડું માની આંખો જ જાણે જોઈ રહી છે મને એમ મન થાય ગાંડું તગતગ તાકતી ખોળલે લૈ ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ
કેવી હશે ને કેવી નૈ મા મને કોઈ દી સાંભરી નૈ.
|
 |
|
Comments (0)
|
|
|
|
|
એક કંજુસની વાર્તા |
|
બોધ કથા
|
By ગુર્જરદેશ બોધકથા on
7/8/2006
|
|
|
|
શીબી ચક્રવર્તીની
વાર્તા ઘણી જ પ્રસિદ્ધ છે. તે પોતાના દયા અને દાનના ગુણથી ઘણા જ ખ્યાતનામ છે. તેના
રાજ્યમાં નારાયણ નામનો એક કંજુસ રહેતો હતો. નારાયણ દસ કરોડ કમાયો હતો પરંતુ કોઇને એક
રાતી પાઇ પણ આપી નહોતી. પડોશી અથવા પશુઓની વાત તો છોડો પરંતુ પોતાની માતાને પણ વ્યવસ્થિત
જમવાનું આપતો નહોતો.
એક દિવસ તેણે ફળ
લેવાના હતા. તેણે ભાવતાલ કરવાનું શરૂ કર્યુ. ફળની કિંમત વધારે લાગતા તે બાજુના ગામમાં
ચાલતો ગયો અને સસ્તી કિંમતે ફળ ખરીદવાનું વિચાર્યુ. જો વેપારી ૧ આનો કહે તો તે ૧/૨
આના જ કહેતો. છેવટે તેણે ખેતરમાં જઇને ચોરી કરવાનું નક્કી કર્યુ કે જેથી મફતમાં ફળ
મળી જાય. ખેતરમાં તે ખુબ ચાલ્યો. તે જુવાન નહોતો છતાં પણ મહેનત કરીને વૃક્ષ પર ચડ્યો.
મહામહેનતે તેને થોડાક ફળ મળ્યા. લાલચને કારણે તે વૃક્ષ પર ઊંચે ને ઊંચે ચડવા માંડ્યો.
અચાનક જ તે લપસી પડ્યો અને એક ડાળીને
આધારે લટકી રહ્યો પરંતુ તે ખુબ જ ઊંચાઇએ હતી.
સદનસીબે એક મહાવત
ત્યાંથી પસાર થતો હતો. તેણે મદદ માટે બુમ મારી. તે મદદ માટે પોતાની અડધી મિલકત દેવા
તૈયાર હતો. મહાવત મિલકતની લાલચને કારણે તેની મદદ કરવા તૈયાર ...
|
 |
|
Comments (3)
|
More...
|
|
|
એક મધ્યરાત્રે - રાવજી પટેલ |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
7/8/2006 11:17 AM
|
|
|
અરે, આ ઓચિતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે! પથારી ખીલી ગૈ, કુસુમ ટહુયાં કૈં રુધિરમાં! ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં! અને આ હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા નયા દૂર્વાકુરો ફર ફર થતાં. સ્હેજ ચમયું સૂતેલી પત્નીનું શરીર; ઝબયો હુંય, પરખી. જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલયું. વીતેલા વષોમાં કદીય પણ ચાહી નવ તને. સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.
(ઊષર - પડતર, પરિમલ્યા - ખીલ્યા, દૂર્વાકુરો - ઘાસનો અંકુર)
|
 |
|
Comments (1)
|
|
|
|
લાખોમાં એક છે - શૂન્ય |
|
ગુજરાતી કાવ્યો
|
By ગુર્જરદેશ કાવ્યો on
7/5/2006 6:43 AM
|
|
|
જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે, જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.
પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી, સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો, દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.
આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું, માણસ તરીકે 'શૂન્ય'મજાનો છે નેક છે.
એ ઓર વાત છે કે નથી મોહ નામનો, બાકી તમારો 'શૂન્ય' તો લાખોમાં એક છે."
|
 |
|
Comments (2)
|
|
|