Search
Friday, September 03, 2010 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 ગુજરાતી સાહિત્ય

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
ં માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...

શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરી નૈ.

જેણે સમજુ થયા પહેલાં જ મા ગુમાવી દીધી છે, તેવું બાળક માતાની કેવી કેવી કલ્પના કરે? રવીન્દ્રનાથ ટાગોરના ગીતનો ઝવેરચંદ મેઘાણીએ કરેલો આ અનુવાદ છે.

ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ,
અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ

હલાહલ ઝેર હો અથવા મધુર અંગૂરનો આસવ,
મળે તે માણીએ હાજરજવાબી આદમી છઈએ

અમે ઘેરી નિગાહોની નવાજિશ માણનારાઓ
અમારું મન નવાબી છે, નવાબી આદમી છઈએ

નથી હેવાન, કે તારો કરીએ ના કશો આદર!
ખુશીથી આવ, ઓ ખાનાખરાબી! આદમી છઈએ

ગયા છીએ અમે ફેંદી બધાં દફતર મહોબતનાં
કિતાબો કંઈ ઉકેલી છે, કિતાબી આદમી છઈએ

આ વાર્તા રાજા નહુષની છે કે જે આયુનો પુત્ર હતો અને યયાતિનો પિતા હતો. નહુષનો બ્રહ્મર્ષિ વસિષ્ઠ દ્વારા બાળપણમાં ઉછેર થયો હતો. તેને સુખ અને દુઃખથી પર હોવાને લીધે તેને કોઇ પણ જાતનો અહંકાર નહતો. બાળપણમાં દેવતાઓએ તેમના વખાણ કર્યા છતાં પણ તેમને અહંકાર આવ્યો ન હોવાથી તેમનું નામ નહુષ પાડ્યુ. તેમણે સકળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો અને રાજા બની ગયો. તેમના સદગુણોની સુવાસ થોડા જ વખતમાં ચોતરફ પ્રસરવા લાગી. તેમણે ૧૦૦ અશ્વમેઘ યજ્ઞો કર્યા અને તેઓ ઇન્દ્ર બનવા માટે લાયક બન્યા.

 એક વખત ઇન્દ્રે વૃત્રાસુરને માર્યો. વૃત્રાસુર અસુર હતો છતા પણ તે બ્રાહ્મણ હતો. તેથી ઇન્દ્રને બ્રહ્મહત્યાનું પાતક લાગ્યુ અને નહુષને ઇન્દ્ર બનવાનો મોકો મળ્યો. નહુષને જ્યાં સુધી ૧૪ લોકના રાજા હોવાનુ માન ન આવ્યુ ત્યાં સુધી તે સારો રહ્યો. અચાનક જ તેમાં અહંકાર આવ્યો. તેને લાગ્યુ કે તે મહાશક્તિશાળી છે અને ક્યારેય પણ ખોટો હોઇ શકે નહી. તેણે શચીદેવી જેવી પતિવ્રતા સ્ત્રીને સંદેશો આપ્યો કે હવેથી તે ઇન્દ્ર બન્યો હોવાથી પોતાની આજ્ઞા પાળે. જે ક્ષણથી તેણે એક પતિવ્રતા સ્ત્રી પર દ્રષ્ટિ નાખી, તે જ ક્ષણથી તેના સદગુણો, પુણ્ય, તપોબળ નાશ પામ્યા અને તેનો અંત નિશ્ચીત...

Read More »

બોંબ બ્લાસ્ટ

 

તે દિવસે અલ્પા અને નિરવ નાનકડા સેતુને લઇને ખુબજ ઝઘડ્યા. આમતો તેમનુ જીવન બે સમાંતર પાટા જેવુ હતુ. ક્યારેય કોઇ વાત પર એક મત નહીં.

નિરવ અને તેનુ કોંપ્યુટર્

જ્યારે ચા પીવાની તલપ લાગે ત્યારે નીચે આવવાનુ અને સેતુને ચા ઉકળે ત્યાં સુધી રમાડવાનો. ગબડાવવાનો અને ટી બ્રેક પતે એટલે પાછો તેના "ક્લીકો"નાં વનમાં એક કલાક ગુમ થઇ જવાનુ. રુપીયાનો ઢગલો થતો પણ અલ્પા હંમેશા કહેતી ઘરેથી કામ કરવાનો મતલબ એવો નહીં કે ચોવિસ કલાક એકનુ એક "ક્લીક્..ક્લીક્" કર્યા કરવાનુ.સેતુ પહેલા હું છુ અને ઘર ગ્રુહસ્થી છે.

નિરવ અલ્પાને કહેતો આ ક્લીક ક્લીક છે તેથી તો રુપીયા ઘરમાં આવે છે અને આ સ્પર્ધાના જમાનામાં જ્યારે તમને કામ મળતુ હોય તો મ્હોં ધોવા જનારાને તકલીફ થતી હોય છે. સેતુનુ બચપણ જતુ રહેશે તુ અને હું ક્યાં જતા રહેવાના છીયે.સહેજ ધંધાને ધીરો પડવા દે.હમણાં તો ટાઇમ જરા પણ બગડવા દેવાય નહીં. અલ્પા તેની બહેનોનાં જીવન જોઇ નિઃસાશા નાખતી અને બબડતી પણ ખરી કે આના કરતા કોઇ બેઠી નોકરીવાળાને પરણી હોત તો એટલુ તો સારુ હોત કે સાંજ પડે વર ઘરે આવે અને સાથે બેસીને ટી.વી. સીરીયલ તો જોવાય...

ડેડ લાઇન ને પહોંચી વળવાની...

Read More »

એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતા વિહાર કરતા હતા. લક્ષ્મીમાતાએ પોતાના ભાઇ ઉછૈશ્રવમને જોયો. પોતાના ભાઇને જોઇને લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુના અવાજને સાંભળ્યો નહી. ભગવાન વિષ્ણુએ માતાને શ્રાપ આપ્યો કે તેઓ ભુલોકમાં જાય ને જ્યાં સુઘી તેમને પોતાના જેવા શક્તિશાળી પુત્રનો જન્મ ન થાય ત્યાં સુધી તે વૈકુંઠમાં આવી શકશે નહી. ભુલોક પર આવીને માતાને થયુ કે આ વખતે માત્ર ભગવાન શિવ જ તેમની મદદ કરી શકે છે. તેમણે તપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવ પ્રગટ થયા. માતાએ કહ્યુ "તમે અને વિષ્ણુ બંને સરખા છો, પરમાત્મા છો. મને મદદ કરો." ભગવાન શિવે કહ્યુ "હે દેવી! તમે કેમ જાણો છો કે અમે બંને સરખા જ છીએ?" માતાએ કહ્યુ "વિષ્ણુએ મને કહ્યુ હતુ. એક વખત તેઓ ધ્યાનમાં બેઠા હતા ત્યારે મેં તેમને પ્રશ્ન પુછ્યો કે સમુદ્રમંથન વખતે મેં તમને સર્વના કર્તાહર્તા જાણીને હું તમને વરી હતી તો પછી તમે કોનું ધ્યાન ધરો છો?". ભગવાને ઉત્તર આપ્યો "હું ભગવાન શિવનું ધ્યાન ધરુ છુ. હું અને તે બંને સરખા છીએ. સર્વ જ્ઞાની લોકો આ વાત જાણે છે. જો કોઇ મારો ભક્ત હોય અને તે ભગવાન શિવની નિંદા કરતો હોય તો હું તેને નર્કમાં નાખુ છુ."

માતાએ ભગવાન શિવને...

Read More »

કોઈ દી સાંભરે નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ
કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરે નૈ

કોક કોક વાર વળી રમ્મત વચાળે મારા
કાનમાં ગણગણ થાય
હુતુતુતુની હડિયાપટીમા
ં માનો શબદ સંભળાય-
મા જાણે હીંચકોરતી વઈ ગઈ
હાલાના સૂર થોડા વેરતી ગઈ...

શ્રાવણની કોક કોક વે'લી સવારમાં
સાંભરી આવે બા
પારિજાતકની મીઠી સુગંધ લઈ
વાડીએથી આવતો વા
દેવને પૂજતી ફૂલ લૈ લૈ
મા એની મ્હેક મ્હેક મેલતી ગઈ

સૂવાના ખંડને ખૂણે બેસીને કદી
આભમાં મીટ માંડું
માની આંખો જ જાણે જોઈ રહી છે મને
એમ મન થાય ગાંડું
તગતગ તાકતી ખોળલે લૈ
ગગનમાં એ જ દ્ય્ગ ચોડતી ગૈ

કેવી હશે ને કેવી નૈ
મા મને કોઈ દી સાંભરી નૈ.

આજે જાગવું છે



આંખમાં ઊંઘ સળવળે છતાં આજે જાગવું છે.

વીતેલી ક્ષણોને જીવંત કરી આજે જાગવું છે.



વાતવાતમાં લડવું, રિસાવું

દૂર જઇ વળી પાછા ફરવું

એ અમથું અમથું ઇતરાવું

વળી છુટ્ટાં પડતાં કરમાવું

તન્હા બેચૈન રાતોની યાદમાં આજે જાગવું છે.



        લાગણીઓનું મનમાં છુપાવું

        ને અંતે આંખોમાંથી છલકવું

        સાંત્વનનું વાળમાં ફરવું

        ને ઉકળાટનું શાંત પડવું

અવ્યક્ત ઉર્મિની વ્યથાની યાદમાં આજે જાગવું છે.



ડો. ભૂમિકા મહેતા

(‘’કવિ’’ સામયિક, જૂન 2005)



મૌનના પરદે રહીને એકલા બળશુ નહી

આજથી એવા મળીશુ કે અલગ પડશુ નહી

 

આપણા નયને સવારે સૂર્ય થઇ જાગ્યુ મિલન

હૂંફના તડકા સમુ હેમંતમા લાગ્યુ મિલન

સાંજના ભારે નયનમા અસ્ત થઇ જાતુ મિલન

રોજ આવી વેદના લઇ સાંજના ઢળશુ નહી

આજથી...

 

શીત રાતે હુ અધૂરા ચન્દ્ર મા શોધુ તને

ના અટકતા ઊંઘ કે શમણાય તારી પાંપણે

ઝૂરવુ શુ આંખમા ઉજાગરા લઇ આપણે

આપણી આ લાગણીને આપણે છળશુ...

Read More »

શીબી ચક્રવર્તીની વાર્તા ઘણી જ પ્રસિદ્ધ છે. તે પોતાના દયા અને દાનના ગુણથી ઘણા જ ખ્યાતનામ છે. તેના રાજ્યમાં નારાયણ નામનો એક કંજુસ રહેતો હતો. નારાયણ દસ કરોડ કમાયો હતો પરંતુ કોઇને એક રાતી પાઇ પણ આપી નહોતી. પડોશી અથવા પશુઓની વાત તો છોડો પરંતુ પોતાની માતાને પણ વ્યવસ્થિત જમવાનું આપતો નહોતો.

એક દિવસ તેણે ફળ લેવાના હતા. તેણે ભાવતાલ કરવાનું શરૂ કર્યુ. ફળની કિંમત વધારે લાગતા તે બાજુના ગામમાં ચાલતો ગયો અને સસ્તી કિંમતે ફળ ખરીદવાનું વિચાર્યુ. જો વેપારી ૧ આનો કહે તો તે ૧/૨ આના જ કહેતો. છેવટે તેણે ખેતરમાં જઇને ચોરી કરવાનું નક્કી કર્યુ કે જેથી મફતમાં ફળ મળી જાય. ખેતરમાં તે ખુબ ચાલ્યો. તે જુવાન નહોતો છતાં પણ મહેનત કરીને વૃક્ષ પર ચડ્યો. મહામહેનતે તેને થોડાક ફળ મળ્યા. લાલચને કારણે તે વૃક્ષ પર ઊંચે ને ઊંચે ચડવા માંડ્યો. અચાનક જ તે લપસી પડ્યો અને એક ડાળીને આધારે લટકી રહ્યો પરંતુ તે ખુબ જ ઊંચાઇએ હતી.

 સદનસીબે એક મહાવત ત્યાંથી પસાર થતો હતો. તેણે મદદ માટે બુમ મારી. તે મદદ માટે પોતાની અડધી મિલકત દેવા તૈયાર હતો. મહાવત મિલકતની લાલચને કારણે તેની મદદ કરવા તૈયાર થયો. હાથીને ઊભો રાખીને તે નારાયણને નીચે લાવવા માટે પ્રયત્ન કરતો હતો. આ દરમિયાન હાથીએ તળાવ જોઇને પાણી પીવાનું...

Read More »

અરે, આ ઓચિતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે!
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુયાં કૈં રુધિરમાં!
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં!
અને આ હૈયાની ઊષર ધરતીમાં પરિમલ્યા
નયા દૂર્વાકુરો ફર ફર થતાં. સ્હેજ ચમયું
સૂતેલી પત્નીનું શરીર; ઝબયો હુંય, પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલયું.
વીતેલા વષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોનાં પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

(ઊષર - પડતર, પરિમલ્યા - ખીલ્યા, દૂર્વાકુરો - ઘાસનો અંકુર)

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે 'શૂન્ય'મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો 'શૂન્ય' તો લાખોમાં એક છે."


 ગુજરાતી સાહિત્ય

સર્વાધિકાર સુરક્ષિત ૨૦૦૬-૨૦૦૯ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft