Search
Saturday, July 05, 2008 ..:: સાહિત્ય » સાહિત્ય ::.. Register  Login
 Most recent blog entries
વરસાદ મુબારક
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 6/27/2006 11:28 PM
આભ નહીં સાંભળી શકશે
કારણ કે એ ભોળું છે
વરસાદ છે કે તોફાન કરતા
છોકરાઓનું ટોળું છે?

શાંત સરોવર ઉપર લખાતું
છાંટાનું જોડકણું છે
છબાક છબ છબ કરતું કેવું
ખાબોચિયું બોલકણું છે!

નેવાંથી પડતાં ટીપાંનું
નાનકડું ગીત ગાવું છે,
પાણીની સીડીથી મારે
મેઘધનુષ પર જાવું છે!

આવે વખતે ચોપડીઓમાં
યાં મોં ઘાલી રહેવું છે,
એકબીજાને મળી અને
'વરસાદ મુબારક' કહેવું છે!

જો આપને આ કવિતાના કવિ વિશે માહિતી હોય તો અમને કહેવા વિનંતી.
Comments (0)

ચ્યવન ઋષિ ની કથા
બોધ કથા By ગુર્જરદેશ બોધકથા on 6/26/2006

ચ્યવન ઋષિ ભૃગુ મહર્ષિ અને પુલોમા દેવીના પુત્ર હતા. જ્યારે પુલોમા દેવી ગર્ભવતી હતા ત્યારે ભૃગુ ઋષિને બહાર જવાનું થયુ. તેમણે અગ્નિદેવને પુલોમા દેવીની રક્ષા કરવા માટે વિનંતિ કરી. ત્યારે પુલોમા નામનો રાક્ષસ ત્યાં આવ્યો અને અગ્નિદેવને પુછ્યુ "આ પુલોમા છે?" અગ્નિદેવને કંઇ ખબર ના પડી કે તેને શું જવાબ આપવો. જો તે સાચો જવાબ આપે તો ભૃગુ ઋષિ કોપાયમાન થાય અને જો ખોટુ બોલે તો તેમને ખોટુ બોલવાનું પાપ લાગે. તેથી તેમણે જવાબ આપ્યો "તે ભૃગુ ઋષિના પત્ની છે.". તરત જ રાક્ષસે વરાહનું સ્વરૂપ લીધું અને પુલોમા દેવીને ઉપાડી ગયો. આ દરમિયાન પુલોમા દેવીના ગર્ભમાંથી બાળક પડી ગયુ. (તેથી આ બાળકનું નામ ચ્યવન રાખવામાં આવ્યુ.)

આ બાળકના ચહેરા પર બ્રહ્મતેજ હતું જેને કારણે તેને જોઇને રાક્ષસ બળીને ભસ્મ થઇ ગયો. બાદમાં ચ્યવને ખુબ જ કઠીન તપ કર્યુ અને મોટા મહર્ષિ બન્યા. તે અને તેમની પત્ની સુકન્યાને દધિચિ, પ્રમતિ અને આપ્રવાન નામે સંતાનો હતા. ખુબ જ સમય પછી ચ્યવન ઋષિએ પાણીની અંદર ૧૨ વર્ષ સુધી તપ કર્યુ. આ તપ દરમિયાન એક માછીમાર આવ્યો અને તેણે માછલા પકડવા માટે જાળ નાખી. પરંતુ માછલાની જગ્યાએ ...

Comments (0) More...

કક્કો - આદિલ મન્સૂરી
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 6/24/2006 11:55 PM
ક બહુ લિસ્સો હતો, લપસી ગયો
ખના પગમાં ખોડ, તે મોડો પડયો
ગના બે કટકા, છતાં સાથે રહ્યા
ઘનું મોઢું બંધ, ગૂંગળાઈ મર્યો
ચ બગાસાં ખાય છે, તે જોઈને
છને આવી છીંક, ૨ ૩ ૪ ૬
જનો હાથ ઊંચો થયો સત્કારમાં
ઝએ લાંબા થૈને ઝટ ઝાલી લીધો
ટ બહુ ચંચળ ઊછળતો કૂદતો
લપસ્યો, પછડાયો ને ઠ ડ ઢ થયો
ગ જતો'તો રમવા સંતાકૂકડી
હાથ દૈ રોયો તો ગનો ણ થયો
ત હતો તૈયાર કૂદકો મારવા
થએ કાઢી આંખ, તો થીજી ગયો
દને પગ નહોતા, કે ઊભો રહી શકે
લૈને ટેકણલાકડી ધ થૈ ગયો
નને વાંકી પૂંછડી નડતી રહી,
પએ વીંઝી પાંખ, પીંખાઈ ગયો
કને ઊગી પૂંછડી, કહેવાયો ફ,
બના પેટે ગાંઠ તે રડતો રહ્યો
ભ ફરે છે સૂંઢને ડોલાવતો
સૂંઢ તૂટી ગૈ તો ભનો મ થયો
ય ફૂલેલા પેટથી શરમાય ને
રને દુર્બળ દેહનો છે વસવસો
લ લડે છે ઢાલ ને તલવાર લૈ
વને લાગી બીક, તે નાસી ગયો
શને ષ સ ત્રણે સગ્ગા ભાઈઓ
ચોથો ભાઈ હ જે પિત્રાઈ હતો ...
Comments (1) More...

રઘુમહારાજની કથા
બોધ કથા By ગુર્જરદેશ બોધકથા on 6/24/2006

આ કથા રામચંદ્રજીના દાદા રઘુમહારાજના વખતની છે. રઘુમહારાજ તેમના કુળના અન્ય રાજાઓ જેટલા જ ધર્મપ્રિય હતા. તેમના રાજ્યમાં કેટલાય ગુરુકુળ હતા જેમાના કેટલાકમાં ૧૦૦૦ કરતા પણ વધારે શિષ્યો  અભ્યાસ કરતા હતા. એક ગુરુકુળમાં ગુરૂ શિષ્યને કહી રહ્યા હતા. "હે શિષ્ય! મેં તને બધી જ વિદ્યા શિખવી દીધી છે. તે પણ ઘણા ખંતપુર્વક અભ્યાસ કર્યો છે. હવે તુ ગૃહસ્થશ્રમમાં પ્રવેશ કર અને સમાજને ઉપયોગી બન." શિષ્યએ પ્રત્યુત્તર આપ્યો "હે ગુરૂજી! મને ગુરૂદક્ષિણા આપવાનો મોકો આપો." ગુરૂ બોલ્યા "તુ ગરીબ છે. તારે કંઇ પણ દેવાની જરૂર નથી." શિષ્ય આગ્રહ કર્યે જતો હતો અને ગુરૂ ના પાડ્યે જતા હતા. પછી ગુરૂ બોલ્યા. "ભલે! મેં તને ૧૪ વિદ્યા શિખવી છે એટલે મને તુ ૧૪ મણિ ધનરાશિ આપ પણ એ શરત છે કે દરેક મણિની ઊંચાઇ હાથી પર ઊભા રહેલા માણસ જેટલી ઊંચાઇએ પથ્થર ફેંકે તેટલી હોવી જોઇએ.". શિષ્યએ કહ્યુ "ભલે" અને તે ચાલ્યો ગયો પરંતુ તે હવે ખુબ જ ચિંતિત હતો કે ગુરૂદક્ષિણા આપવી કઇ રીતે?

 રાજાને પિતાતુલ્ય જાણીને   તે રઘુમહારાજ પાસે પહોંચ્યો. આગલા દિવસે રઘુમહારાજે ...

Comments (0) More...

તો કહેવાય નહી - ઘાયલ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 6/21/2006 11:21 PM
મન મરણ પહેલાં મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દિલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખડી ભોળી, વદન ભોળું, અદાઓ ભોળી,
પ્રાણ એ રૂપ હરી જાય તો કહેવાય નહીં

ચાંદની રાત, ભર્યા જામ, સૂરીલાં ગીતો,
આજ મારો દી ફરી જાય તો કહેવાય નહીં

કંઈ મજા મીઠી તડપવામાં મળે છે એને,
દિલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દિલને બદલે,
ચોર નિદોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોકનો માયો તો મરશે ન તમારો 'ઘાયલ',
હર્ષનો માયો મરી જાય તો કહેવાય નહીં.
Comments (2)

એક ખેડુતની વાર્તા
બોધ કથા By ગુર્જરદેશ બોધકથા on 6/21/2006

એક નાનકડા ગામમાં ખુબ જ મહેનતુ ખેડુત રહેતો હતો. તેની પાસે ૧ એકર જમીન હતી. ખુબ જ મહેનતુ હોવાને કારણે તેને પોતાના કુટુંબના ભરણપોષણ જેટલું મળી રહેતું હતુ જેથી તેને કોઇની પાસે હાથ લાંબો કરવાની જરૂર રહેતી નહોતી. તેને જેટલું મળતું તેનાથી સંતુષ્ટ હોવાને કારણે તેને કોઇ પણ જાતની કમી નહોતી. પરંતુ સમય હંમેશા બદલાતો રહે છે. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વરસાદ ઓછો થતો ગયો અને એક સમય એવો આવ્યો કે વરસાદ જ ન પડ્યો. બીજા બધા જ સામાન્ય ખેડુતોની હાલત કફોડી થઇ ગઇ.

 આ ગરીબ ખેડુતની દશામાં કંઇ ફરક પડ્યો નહોતો. તેના જીવનમાં ચોમેર અંધકાર જ ફેલાયેલો હતો. આશાનું એક પણ કિરણ દેખાતુ નહોતુ છતાં પણ તેની જીવવાની પધ્ધતીમાં કોઇ પણ જાતનો ફેરફાર થયો નહોતો. હંમેશની જેમ તે સૂર્યોદય થતા પહેલા ઊઠી જતો અને થોડુંઘણું ખાઇને ખભા ઉપર હળ નાખીને પોતાના ખેતરે જવા નીકળી પડતો. તેને ખબર હતી કે તે જે કંઇ કરતો હતો તેનો કોઇ જ મતલબ નહોતો. એક દિવસ ખેડુત પોતાની દિનચર્યામાં વ્યસ્ત હતો. ભગવાન શંકર ત્યાંથી નિકળ્યા.તેમણે આ ગરીબ મહેનતુ ખેડુતને જોયો.

 મુસાફરના વેશમાં આવેલા પરમેશ્વરે આ ખેડુતન ...

Comments (0) More...

નાડીજંઘની વાર્તા
બોધ કથા By ગુર્જરદેશ બોધકથા on 6/18/2006

 કૃતજ્ઞતા એ મોટો સદગુણ છે. કોઇએ કરેલા ઉપકારને ન ભુલી જવો જોઇએ. કૃતજ્ઞતા એ એવો ધર્મ છે કે જેને પાળવાથી મોટુ પુણ્ય મળતું નથી પરંતુ તેને ન પાળવાથી મહાપાપના ભાગીદાર થવાય છે.

 એક બ્રાહ્મણ હતો. તે સ્વધર્મ ભુલીને જંગલમાં જઇને પશુઓને મારીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જે વ્યક્તિ ઇન્દ્રિયસુખને જ સર્વસ્વ માને છે તે વિષયો પાછળ આંધળી દોટ મુકે છે અને વધારે ને વધારે પૈસા કમાવા ઇચ્છે છે. પોતાની ઇચ્છાઓને પુરી કરવા માટે તે ધર્મ અને ન્યાયની વિરુધ્ધ પણ જઇ શકે છે. જે વ્યક્તિ ધર્મભીરુ કે પાપભીરુ નથી તે પોતાના માટે તેમજ સમાજ ને માટે પણ ઘાતક છે.

 આ બ્રાહ્મણ બીજા લોકો સાથે દેશાંતર કરતા કરતા એક દુર્ગમ પર્વત શ્રેણી પાસે આવ્યો. આ દરમિયાન એક મદોન્મત હાથી આવ્યો અને તેની પાછળ દોડવા લાગ્યો. દરેક લોકો અલગ અલગ દિશામાં ભાગવા લાગ્યા. આ બ્રાહ્મણ બીજા લોકોથી વિખુટો પડીને ખુબ જ દુર્ગમ સ્થાન પર આવી ગયો. તેને પોતાની જગ્યાએ પાછુ કેમ જવુ તેનો તાગ જ મેળવી ના શક્યો. આખરે તે થાકેલો હોવાને લીધે અશ્વથ્થા વૃક્ષની છાંયામાં બેઠો.

 આ વૃક્ષની ઊપર નાડ ...

Comments (0) More...

લાગણીવશ હ્રદય - ગની દહીંવાલા
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 6/17/2006 6:13 PM
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!
 છે મને રાતદી એક તારો જ ભય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!

જોતજોતામાં થઈ જાય તારું દહન
વાતોવાતોમાં થઈ જાય અશ્રુવહન
દવ દીસે છે કદી તો કદી જળપલય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!

કોઈ દુખિયાનું દુઃખ જોઈ ડૂબી જવું
હોય સૌંદર્ય સામે તો કહેવું જ શું?
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!

આભ ધરતીને આવી ભલેને અડે
તારે પગલે જ મારે વિહરવું પડે
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય
લાગણીવશ હ્રદય! લાગણીવશ હ્રદય!
Comments (0)

મને - મરીઝ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 6/13/2006 5:53 PM
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને

કૈંક ખામી આપણા આ પ્રેમના બંધનમાં છે
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને

હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને

થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને

હાથમાં આવી ગયું'તું એમનું આખું જીવન
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને

આ સતત અવગણના એની મહેરબાની છે, 'મરીઝ',
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને
Comments (1)

સાહ્યબો - રઘુનાથ બહ્મભટ્ટ
ગુજરાતી કાવ્યો By ગુર્જરદેશ કાવ્યો on 6/10/2006 12:29 PM
સાહ્યબો મારો ગુલાબનો છોડ
વેલી હું તો લવંગની
ઊડશું જીવનમાં જોડાજોડ
પાંખો જેવી પતંગની

આભલાને મેઘ હું, તું મારી છે વીજળી
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ
મંજરી જેવી વસંતની

સાહ્યબો સોહે કસુંબીનો રંગ
ઓઢણી ઓઢી ઉમંગની
Comments (0)


 ગુજરાતી સાહિત્ય

કોપીરાઇટ ૨૦૦૬-૨૦૦૭ ગુર્જર દેશ.કોમ   Terms Of Use  Privacy Statement
Designed and Hosted by: Monusoft